Sunday, January 29, 2012

દુબઈમાં બન્યું સૌથી મોટું ગુરુદ્વારા


લુધિયાણા,તા.૨9

અખાત  પ્રદેશમાં સૌથી મોટુ ગુરુદ્વારા  દુબઇમાં શ્રદ્ધાળુ માટે શરૂ થઇ જતા શ્રદ્ધાળુઓની લાંબા ગાળાની માંગણી પૂરી થઇ છે. ગુરુદ્વારા ગુરુનાનક દરબારની ૨૦ મિલિયન ડોલરના ખર્ચે રચના કરવામાં આવી છે.

અલબત્ત, દુબઇમાં ૫૦ હજાર શીખ લોકો રહે છે પરંતુ હજુ સુધી ગુરુદ્વારા નહીં હોવાના કારણે શ્રદ્ધાળુઓ હતાશ હતા. ઉપ પ્રમુખ અને દુબઇના વડાપ્રધાન શેખ મહોમ્મદ બિન રસીદ અલ મુખ્તમે જેબેલઅલી વિસ્તારમાં ગુરુદ્વારા માટે ૨૫૪૦૦ સ્ક્વેરફુટ જમીન મંજુર કરવામાં આવી હતી. શીખ સમુદાયના લોકો માટે આ ઐતિહાસિક ક્ષણ છે તેમ કેટલાક શીખ સમુદાયના લોકોએ કહ્યું છે. શીખ સમુદાયના લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં પણ શીખ શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં પહોંચશે. દુબઈમાં રહેતા મોટાભાગના લોકો હિંદી અને પંજાબી ભાષા બોલે છે.

No comments:

Post a Comment